નવી દિલ્હી : કોરોના સંકટને કારણે દેશવ્યાપી લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે જે 31 મેના રોજ સમાપ્ત થશે. લોકડાઉન 5.0ની ગણતરી શરૂ થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન 5.0 પણ દેશમાં રજૂ કરવામાં આવશે અને તેની બ્લુપ્રિન્ટ હવે તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં લોકડાઉન 5.0 અંગે ‘મન કી બાત’ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 11 શહેરોને બાદ કરતાં દેશના બાકીના રાજ્યોમાં આ વખતે વધુ છૂટછાટ મળી શકે છે.
દર વખતની જેમ મહિનાના અંતિમ રવિવારે એટલે કે 31મી મેએસવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ પ્રોગ્રામ દ્વારા દેશની જનતાને સંબોધશે. આ પ્રોગ્રામમાં આગામી લોકડાઉન- 5 ને લઇને કોઇ જાહેરાત કરે તેવી શક્યતા છે. દેશમાં લોકડાઉનની મુદ્દતમાં વધુ એકવાર વધારો થઇ શકે છે.
‘મન કી બાત’ પ્રોગ્રામ આકાશવાળીની તમામ ચેનલો તમામ કેન્દ્રથી એક સાથે પ્રસારિત કરશે. સાથે જ તેનું પ્રસારણ દૂરદર્શનની નેશનલ, ન્યૂઝ, ડીડી ભારતી, ડીડી ઈન્ડિયા, ડીડી ઉર્દુ અને ડીડી કિસાન પર પણ થશે. દૂરદર્શને આને લઈને એક ટ્વિટ કર્યું છે.
PM @narendramodi's #MannKiBaat, Sunday, 31st May at 11 am on all channels of @AkashvaniAIR, @DDNational & Live-Stream on https://t.co/XSIufeHPpi pic.twitter.com/24yz1m9CYx
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) May 27, 2020
આ રાજ્યોમાં વધુ કેસ
દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતા આ શહેરોમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે અને 70 ટકાથી વધુ કોરોના કેસ છે. તેમાંથી મુંબઈની હાલત કફોડી છે.
ધાર્મિક સ્થળો ખુલી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉનનાં પાંચમા તબક્કામાં કેન્દ્ર સરકાર ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી શકે છે, પરંતુ નિયમો અને શરતો તે માટે અમલમાં રહેશે. ઉદાહરણ તરીકે, કોઈ ધાર્મિક સ્થળે કોઈપણ મેળો અથવા ઉત્સવ ઉજવવાની મંજૂરી રહેશે નહીં, મંદિરોમાં ખૂબ ભીડ રહેશે નહીં અને માસ્ક પહેરવું તેમજ સામાજિક અંતરની કાળજી લેવી પડશે.
લોકડાઉન 5.0 દરમિયાન કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ ઝોનમાં સલુન્સ અને જીમ ખોલવાની મંજૂરી આપી શકાય છે. જો કે આ તબક્કે કોઈ શાળા, કોલેજ -યુનિવર્સિટી ખોલવાની મંજૂરી આપી શકાતી નથી. તેમજ મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખી શકાય છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકડાઉન 5.0 માં લગ્ન અને અંતિમ સંસ્કારમાં કેટલાક વધુ લોકોને સામેલ થવાની છૂટ આપવામાં આવી શકે છે. સૂત્રો કહે છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો બે અઠવાડિયા માટે લાગુ કરી શકાય છે.