દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે બુદ્ધ પૂર્ણિમા અંતર્ગત PM મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એક પ્રાર્થના સભામાં સામેલ થઇ કોરોનામાં એકબીજા ને મદદરૂપ થવા ઉપર ભાર મૂકી સેવાકાર્યની ભાવનાને ઉત્તેજન આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ કોરોના વાયરસ પીડિતો અને મહામારીની લડાઈ લડતા કોરોના યોદ્ધાના સન્માનમાં યોજાયો હતો. PM મોદીએ કહ્યું, ભગવાન બુદ્ધે વિશ્વને સેવાનો સંદેશ આપ્યો છે. આ વખતે પરિસ્થિતિ અલગ છે અને વિશ્વ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ભારત આજે બુદ્ધના પગલે ચાલીને દરેકને મદદ કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે ભારત કોઈ પણ જાતના સ્વાર્થ વગર વિશ્વ સાથે ઉભું છું. આપણે પોતાની સાથે પરિવાર, આસપાસની સુરક્ષા કરવી પડશે. સંકટના સમયમાં દરેકની મદદ કરવી બધાનો ધર્મ છે. આપણું કામ સતત સેવા ભાવનાથી હોવું જોઈએ, બીજા માટે કરૂણા રાખવી જરૂરી છે.
વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે ત્યાર બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. PM મોદીએ કહ્યું કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. આ વખતે પરિસ્થિતી અલગ છે. વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમારી વચ્ચે આવવું પોતાના માટે સૌભાગ્યની વાત હોત, પરંતુ હાલની વર્તમાન સ્થિતિમાં તે એવું નથી કરી શકતા, ભારત આજે બુદ્ધના માર્ગે ચાલીને દરેકની મદદ કરી રહ્યું છે ત્યારે તે સરાહનીય પગલું છે અને જે લોકો સેવા કરી રહ્યા છે તેઓની સેવાભાવના ને બિરદાવી હતી.