નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનનો આજે (14 એપ્રિલે) છેલ્લો દિવસ છે. ત્યારે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધી રહ્યા છે.વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશમાં લોકડાઉન 3 મે સુધી અમલી રહેશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ 24 માર્ચે રાષ્ટ્રજોગ સંબોધન કરીને 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને હવે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10,000ને પાર પહોંચી ગઈ છે.
વડપપ્રધાન મોદીના સંબોધનના મુદ્દા:
-3મે સુધી લોકડાઉન અમલી રહેશે.
-20 એપ્રિલ બાદ અમુક સેક્ટરમાં અમુક શરતો સાથે છૂટછાટ આપવામાં આવશે, જો તેમાં નિષ્કાળજી જણાય તો પછી તેમાં પણ ફરી કડક પગલાં લેવામાં આવશે.
-લોકોએ અનુશાસિત રીતે લોકડાઉન પાળ્યું તે માટે જનતાને નમન કરુ છું.
-સમગ્ર દેશવાસીઓ તરફથી બાબા સાહેબ આંબેડકરને નમન
-અન્ય દેશોમાં જે પ્રમાણે કોરોનાનો આંકડો વધી રહ્યો છે તેની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે
-ભારતે ઝડપથી નિર્ણય લઈને કોરોનાને ફેલતો અટકાવવામાં ખૂબ સારા પ્રયત્નો કર્યા છે
-ભારતે સમય પહેલાં જ આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી
-આજે કોરોના વૈશ્વિક મહામારી બની ગયો છે
વડાપ્રધાને આપ્યો સપ્તપદી મંત્ર
૧.પોતાના ઘરમાં વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે.
૨.લોકડાઉન અબે સોશિયલ ડિસ્ટનસિંગની લક્ષ્મણ રેખાનું પાલન કરો.
3.આપણી ઇમ્યુનિટી વધારવા આયુષ્ય મંત્રાલયના આદેશનું પાલન કરો
૪.આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર ડાઉનલોડ કરો.
૫.જેટલું હોય એટલું ગરીબ પરીવરની મદદ કરો.
૬. કોઈને નોકરીમાંથી ન કાઢો.
૭. તમામ વર્ગના લોકોને મદદ કરો અને ધ્યાન રાખો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકડાઉનને વધુ કડક રીતે આગામી એક સપ્તાહમાં લાગુ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું, ‘આગામી એક અઠવાડિયામાં કોરોના સામેની લડત વધુ કડક રીતે વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધીમાં, દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લા, દરેક રાજ્યની નજીકથી તપાસ કરવામાં આવશે.
પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, લોકડાઉનમાં રાહત અંગે નિર્ણય લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, લોકડાઉનનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે. તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે હોટસ્પોટ્સ વધવા દેશે નહીં ત્યાં 20 એપ્રિલથી કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં છૂટછાટ મળી શકે છે. પરંતુ યાદ રાખો કે આ પરવાનગી શરતી હશે. જો લોકડાઉનનાં નિયમો તૂટશે, તો તરત જ બધી પરવાનગી પાછી ખેંચી લેવામાં આવશે.
વડાપ્રધાન મોદીને સખ્તાઇથી કહ્યું હતું કે, જો લોકડાઉનનાં નિયમો તૂટી જાય અને કોરોનાનો પગ પેસરો આપણા વિસ્તારમાં આવે તો બધી મંજૂરી પાછી ખેંચી લેવામાં આવશે. તેથી, ન તો બેદરકારી દાખવવાની રહેશે કે ન બીજાને બેદરકારી દાખવવા દેવી જોઈએ.