નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ લોન્ચ કર્યું. આ યોજના 6 રાજ્યોના 116 જિલ્લામાં ચાલશે. આ યોજના દેશના રાજ્યોના તે જિલ્લામાં ચલાવવામાં આવશે, જેમાં સ્થળાંતર કામદારોની સંખ્યા 25 હજારથી વધુ છે. આ અંતર્ગત મજૂરોને 125 દિવસ કામ મળશે. મજૂરોને રોજગાર આપવા માટે 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
કાર્યક્રમ શરૂ કરતા પહેલા વડાપ્રધાને લદ્દાખમાં શહીદ થયેલા સૈનિકોની બહાદુરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લદ્દાખમાં આપણા સૈનિકોએ જે બલિદાન આપ્યા છે, તે હું ગૌરવ સાથે જણાવીશ કે આ બિહાર રેજિમેન્ટનું પરાક્રમ છે, દરેક બિહારી તેમાં ગર્વ લે છે. હું જે સૈનિકોએ બલિદાન આપ્યું છે તેમને શ્રદ્ધાંજલિ આપું છું.
આ યોજના બિહારના ખાગરીયા જિલ્લાથી શરૂ કરવામાં આવી
વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ યોજના રિમોટ દ્વારા શરૂ કરી હતી. અગાઉ, તેમણે તમામ લોકો સાથે વાતચીત કરી અને તેમના કાર્ય વિશે જાણ્યું. વડાપ્રધાને તેમની ભાવિ યોજનાઓ વિશે પણ પૂછપરછ કરી. આ સાથે તેમણે દરેકને દરેક શક્ય સહાય આપવાની ખાતરી પણ આપી હતી. આ યોજના બિહારના ખાગરીયા જિલ્લાથી શરૂ કરવામાં આવી છે.