PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સતત અરજીઓ આવી રહી છે અને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ આ યોજનામાં અરજી કરી છે. આ જાણકારી ખુદ પીએમ મોદીએ આપી હતી.
સોલાર પેનલવાળી પીએમ સૂર્ય યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેમાં અરજીઓ સતત ચાલુ છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશભરમાં એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે અને આવા ઘરોને 300 યુનિટ મફત વીજળી પણ મળશે.
PM Modi એ માહિતી આપતાં કહ્યું કે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ એક કરોડથી વધુ લોકોએ અરજી કરી છે.
PM Surya Ghar Yojana માં સરકાર દ્વારા 60 ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે, બાકીના પૈસા તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ખર્ચવા પડશે.
જો તમે પણ આ યોજના માટે અરજી કરી છે અને તમે તેના માટે પસંદ થયા છો, તો તમારે મોટી રકમ ચૂકવવી પડશે, જેના માટે લોનની જોગવાઈ પણ છે.
PM Surya Ghar Yojana હેઠળ, જો તમે ત્રણ કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવો છો, તો તમને કોઈપણ ગેરંટી વિના લોન મળશે.
સોલાર પેનલ માટે ઉપલબ્ધ લોન પરનો વ્યાજ દર પણ ઘણો ઓછો છે, તેના માટે ઉપલબ્ધ વ્યાજ દર લગભગ 7% છે.