દેશને સ્વતંત્રતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથિ છે. આ અવસર પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર અનેક રાજકીય હસ્તીઓ ઉપસ્થિત રહ્યા અને બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
સૌથી પહેલા ત્રણેય સૈન્ય પ્રમુખ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ જઈ બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.ત્યારબાદ ઉપ-રાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાપુને નમન કર્યા.બાપુની પુણ્યતિથિ પર રાજઘાટમાં પ્રાર્થના ગાવામાં અાવી.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રાજઘાટ અાવ્યા હતા.પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીસ્મૃતિ આવ્યા હતાગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
સાથે જ ગાંધીજીના સૌથી ખાસ સબરમતી આશ્રમમાં પણ ગાંધીજીની યાદમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.