Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં બાંસવાડા અને જાલોર લોકસભા સીટ પર 26 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. જેના કારણે આજે વડાપ્રધાન મોદી જાલોરમાં ભાજપના ઉમેદવાર લુમ્બારામ ચૌધરીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી તેઓ મહેન્દ્રજીત સિંહ માલવિયાના પક્ષમાં સભા કરવા બાંસવાડા પહોંચશે.
પીએમ મોદી જાલોરમાં સભામાં પહોંચશે. બાંસવાડામાં સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદીની જાહેરસભા યોજાશે. વડાપ્રધાન મોદીની રેલીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીએમ બાંસવાડાના કોલેજ મેદાનમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રજીત માલવિયા માટે રેલીને સંબોધિત કરશે. બગદૌરા વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર સુભાષ તંબોલીયા માટે પણ મત માંગશે.