દેશમાં ચાલી રહેલી મંદીને દૂર કરવા, ગ્રાહકોની માગમાં વધારો કરવા અને આર્થિક વૃધ્ધિને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકાર નાગરિકોને કરમાં રાહત આપવા વિચારી રહી છે, એમ આ બાબત સાથે સીધી રીતે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું.
સરકાર કરપાત્ર આવકની મર્યાદામાં વધારો કરવા અને ખાસ તો જેમાં 30 ટકા કર કપાય છે તે રૂપિયા દસ લાખના સ્લેબમાં ફેરફાર કરવા વિચારી રહી છે. આ પગલાંની સાથે જ હાઉસ રેન્ટ પેમેન્ટ અને બેન્કની થાપણો પર મેળવેલા વ્યાદ સહિત કેટલાક ટેક્સ બ્રેકને પણ દૂર કરવા સક્રિય રીતે વિચારણા ચાલી રહી હોવાનું આ અધિકારીએ કહ્યું હતું.
ફેબુ્ર્રઆરમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં પણ કદાચ આની જોગવાઇ હોઇ શકે છે.જો કે નાણા મંત્રાલય તરફથી આ સમાચારની પ્રતિક્રિયા જાણી શકાઇ નહતી. જો સરકાર વ્યક્તિગત આવકમાં ફેરફાર કરશે તો તાજેતરના મહિનાઓમાં આર્થિક વૃધ્ધિમાં વધારો કરવા સરકાર દ્વારા લેવાયેલા પગલાંમાં આનો ઉમેરો થશે.
છેલ્લા છ વર્ષમાં આની ગતિ ખૂબ જ મંદ પડી ગઇ હતી. ગયા મહિને કરાયેલા કોર્પોરેટ ટેક્સના ઘટાડા ઉપરાંત સરકારે વિદેશી ફંડ પર પણ લેવી રદ કરી હતી, બેન્કોને દસ અબજ રૂપિયા આપ્યા હતા, સીધા વિદેશી રોકાણના નિયમો હળવા કર્યા હતા અને બેન્કોનું એકીકરણ કર્યું હતું.
કોર્પોરેટ ટેક્સમાં 22 ટકાના ઘટાડાનો અર્થ એ થયો કેે જેઓ 30 ટકાના દરના બ્રેકેટમાં આવે છે તેવા લોકો કરતાં પણ કંપનીનો કર ઓછો થશે. આના કારણે જ વ્યક્તિગત આવકવેરામાં રાહત આપવા વિચારાયું છે.
નાણા મંત્રી નિર્મલા સિતારમણ ચાલુ વર્ષે નાણા ખાધા જીડીપીના 3.3 ટકા સુધી ઘટાડાવા વિચારી રહ્યા છે ત્યારે સરકાર પાસે કોર્પોરેટ ટેક્સ કટ પછી નવી રાહત આપવા માટે ખૂબ ઓછું બચ્યું છે. સરકાર હવે કંપનીઓ અને વ્યક્તિઓ વધુ ખરીદી કરે તેની પર અને મહેસુલી આવકમાં વધારો થાય તેની પર આધાર રાખીને બેઠી છે.
વ્યક્તિની વાર્ષિક આવક રૂપિયા અઢી લાખ કરતાં વધુ હોય તો તેની પર પાંચ ટકા કર વસુલાય છે.એશિયાની સરેરાશ 29.99 ટકા કરતાં પણ આ દર વધુ છે. દેશની કુલ વસ્તીના માત્ર પાંચ ટકા લોકો જ ટેક્સ ભરે છે અને દેશનો ટેક્સ ટુ જીડીપી રેશિયો આશરે 11 ટકા છે જે વૈશ્વિક સરેરાશ કરતાં પણ ઓછો છે. આ તમામ કારણોસર સરકાર કરમાં ઘટાડો કરવા વિચારી રહી છે.