Pulwama Attack: આજે પુલવાલા હુમલાના પાંચ વર્ષ પૂર્ણ થયા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આ આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (14 ફેબ્રુઆરી) પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.