જમ્મુ-કાશ્મીર હાઈવે પર પીઓકે નજીકના પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં કાર બોમ્બ ધડાકામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અર્ધલશ્કરી દળના વધુ ચાર જવાનોએ બદમીબાગ, શ્રીનગરમાં આવેલી લશ્કરની 92 બેઝ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આની સાથે શહીદ જવાનોની સંખ્યા 48 પર પહોંચી ગઈ છે.
જમ્મૂ-કાશ્મીરના પૂલવામામાં ગુરુવારે CRPF જવાનોનાં કાફલા પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. જ્યારે 40થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પૈકી વધુ ચાર જવાનોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા શહીદ જવાનોનો આંક 48 પર પહોંચી ગયો છે.
ઈજાગ્રસ્તો પૈકી 15 જવાનોની સ્થિતિ ગંભીર છે. જ્યારે ત્રણ જવાનો હજુ પણ લાપતા હોવાની જાણકારી મળી રહી છે. ગુરુવારે CRPFના જવાનોને લઈ જતી બસને ટારગેટ કરવામાં આવી હતી. હુમલામાં અન્ય વાહનોને પણ મોટાપાયા પર નુકશાન થયું હતું. હુમલામાં IEDનો ઉપયોગ થયો હોવાની શંકા છે. હુમલાની જવાબદારી જૈશે મહોમ્મદે સ્વીકારી છે.
લશ્કરના અધિકારીએ જણાવ્યું કે CRPFના જવાનોને ટારગેટ કરવામાં આવ્યા હતા. આતંકી સંગઠન જૈશે મહોમ્મદે આને આત્મઘાતી હુમલો બતાવ્યો છે. આ હુમલો શ્રીનગરથી માત્ર 20 કિ.મી દુર હાઈવે પર કરવામાં આવ્યો હતો.
CRPFના ડીજી આરઆર ભટનાગરે કહ્યું કે જે કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 2500 જવાન સવાર હતા. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ઈજાગ્રસ્તોનું પૂરેપુરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આજે ગૃહ મંત્રી રાજનાથસિંહ કાશ્મીર પહોંચ્યા હતા અને તેમણે જવાનોની અંતિમવિધિમાં ભાગ લીધો હતો. 46 જવાનોનાં પાર્થિવ શરીરને તિરંગા સાથે સલામી આપી તેમના ગામ મોકલી આપવામાં આવ્યા છે.
હુમલા બાદ લશ્કરે હાલ જમ્મૂ-કાશ્મીર હાઈવને બંધ કરી અવંતિપુરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયા પર સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. હાઈવેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. એનઆઈએની ટીમે તપાસ શરુ કરી છે.
જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે જૈશે મહોમ્મદના એક આતંકીએ વિસ્ફોટો સાથે ઘસી જઈ લશ્કરની બસને ટક્કર મારી દીધી હતી. બ્લાસ્ટ એટલા મોટા પાયા પર હતો કે બસનું કચ્ચરઘાણ થઈ ગયું હતું. પોલીસે આતંકીની ઓળખ પુલવામાના કાકાપોરા ખાતે રહેતા આદિલ અહેમદ તરીકે કરાઈ હતી. . પોલીસે કહ્યું કે 2018માં જૈશે મહોમ્મદમાં સામેલ થયો હતો.