પંજાબના પટિયાલામાં બે સમુદાયો વચ્ચે તણાવના સમાચાર છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, બે અલગ-અલગ ધર્મના સંગઠનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક સંગઠને પોલીસ પર પથ્થરમારો કર્યો જ્યારે તેઓએ સરઘસને અટકાવ્યું. પોલીસનું નિવેદન આવ્યું છે કે કોઈને પણ સરઘસ કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી. ઘટનાસ્થળે કાબૂ મેળવવા માટે એસએસપી પહોંચ્યા અને હવામાં ફાયરિંગ કર્યું. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. એસએચઓ પણ ઘાયલ થયા છે.
શિવસેનાએ ખાલિસ્તાન વિરુદ્ધ પુતળા દહન અને વિરોધ કરવાની તૈયારીઓ કરી હતી. જેનો સામા પક્ષે લોકોએ વિરોધ કર્યો હતો. બે નાગરિકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ યુવકોમાંથી એક શીખ સમુદાયનો છે જ્યારે બીજો વ્યક્તિ અન્ય સમુદાયનો છે. પોલીસે બંને લોકોને રોકવાનો પ્રયાસ કરતાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.