train accident Kota Junction : શુક્રવારે મોડી સાંજે રાજસ્થાનના કોટા જંક્શન પાસે જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. રેસ્ક્યુ ઓપરેશન બાદ હવે પાટા રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાની માહિતી આપતાં એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, મોડી સાંજે કોટા જંક્શન પાસે જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.અધિકારીએ એમ પણ કહ્યું કે શનિવારે સવારે પણ ટ્રેકનું સમારકામ ચાલુ છે.
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ કોટા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) એ મુસાફરો માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.
0744-2467171
0744-2467172
9001017097
9414018692
9887143093
અગાઉ ડિસેમ્બર 2023માં રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક ખાલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં પણ કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.