કેરળનું પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો કાલે ભંગ કરવામાં આવ્યો છે. સબરીમાલા મંદીરમાં બુધવારે 40 વર્ષીય બે મહિલાએ દર્શન કરવા જતા પરંપરાનો ભંગ થયો છે. ત્યારબાદ જ રાજ્યમાં ભંવડર શરૂ થઇ ગયો છે. બુધવારે પણ મહીલાઓના પ્રવેશબાદ પણ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઘાયલ 55 વર્ષીય ચંદન ઉન્નીથનની મોત થઇ ચુકી છે. ગુરૂવારે સબરીમાલામાં દર્શન કરી રહેલા 5 લોકોને પકડી પાડ્યા હતા. તેમની ઉપર મહિલા પોલીસકર્મી ઉપર હુમલો કરવાનો આરોપ હતો. જ્યારે સીપીઆઇએમ ના કાર્યકર્તાઓ ને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
આજે કેટલાક હિંદુવાદી સંગઠનોએ રાજ્ય બંધનું એલાન કર્યુ છે. ભગવાન અયપ્પાના આ મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓની એંન્ટ્રી પર રોક હતો. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે આ પરંપરાને ખતમ કરી નાખ્યો હતો. જેનો ભારતીય જનતા પાર્ટી અને અન્ય હિંદુ સંગઠનનોએ તેમનો વિરોધ કર્યો હતો.