શિવસેનાએ ફરીથી એક વાર તેના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાક્યું છે. બીજેપીને ઘેરતા સામનામાં લખવામાં આવ્યું ચંદ્રબાબુ યોગ્ય કરી રહ્યા છે બીજપી ગંઠબંધન ધર્મનું પાલન નથી કરી રહી.
તાજેતરમાં તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ એનડીએથી અલગ થવાના સંકેત આપ્યા હતાં. શિવસેનાનું કહેવુ છે કે ભાજપ ગઠબંધન ધર્મ નિભાવી સાથી પક્ષોને નબળો પાડી આનંદ લે છે.
મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ શિવસેનાએ મુખપત્ર સામનામાં ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ ભાજપને ઘેરતા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુનું સમર્થન કર્યું. શિવસેનાએ સામનામાં જણાવ્યું કે.ચંદ્રાબાબુ નાયડુ કહે છે કે ભાજપ ગઠબંધન ધર્મનું પાલન નથી કરતી. શિવસેનાએ ભાજપના એજન્ડાનો વિરોધ કર્યો અને મહારાષ્ટ્રની રાજનીતિમાં સ્વાભિમાનનો ભગવો ઝંડો લહેરાવ્યો છે. 2014માં જોવા મળેલી મોદી લહેરને એક બાજૂ મુકીને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ કેટલી બેઠક જીતશે તે જોવાનું છે. દેશમાં બિલ્ડર અને ઠેકેદારોના પૈસાથી રાજનીતિ કરવામાં આવી રહી છે.ગઠબંધન માટે બીજેપીએ બીજા ગ્રહો પરથી શોધવા પડશે મિત્રોઃશિવસેના