વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અાતંકવાદને કોઈ ધર્મ સાથે જોડવો ન જોઈએ. અાતંકવાદને કોઈ ઘટનાસાથે જોડવી તર્કસંગત નથી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સહકાર વધારવા માટે અપીલ કરી છે, જેથી માનવતા વિરોધી આ અપરાધ સામે લડી શકાય.
સુષ્મા સ્વરાજે રશિયાના સોચી ખાતે યોજાયેલી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગોનાઇઝેશન (એસસીઓ)ના સંમેલનમાં ભાગ લીધો હતો. સુષ્માએ કહ્યું કે ભારત સર્વ પ્રકારની આતંકવાદની નિંદા કરે છે. ભારત એસસીઓના સભ્ય તરીકે પ્રથમ વખત ભાગ લે છે જૂનમાં ભારત અને પાકિસ્તાન તેના સભ્ય બન્યાં છે.
સુષ્માએ કહ્યું કે એસસીઓના સભ્ય બનવા માટે પાકિસ્તાનને શુભેચ્છાઓ આપે છે. આ બેઠક અત્યંત અગત્યની છે કારણ કે ભારતના સભ્ય બનવાથી આ પરિષદની પ્રથમ બેઠક છે. તેમજ ભારતના જૂના મિત્ર રશિયા દ્વારા અા સંમેલન યોજાય છે.
એસસીઓની સ્થાપના 2001માં શાંઘાઈમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને મળીને કરી છે.2005માં ભારત એસસીઓમાં અોબ્જર્વ તરીકે જોડાયું, હાલમાં એસસીઓમાં આઠ દેશ સોમેલ છે, ભારત, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ચાઇના, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન.જ્યારે ચાર દેશ અફઘાનિસ્તાન, બેલારુસ, ઇરાન અને મોંગોલિયા અોબ્જર્વ તરીકે જોડાયા છે