હાલ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો પર્વ પિતૃશ્રાદ્ધ ચાલી રહ્યું છે. શનિવાર, 28 સપ્ટેમ્બરે સર્વપિતૃ મોક્ષ અમાસ છે, જે પિતૃપક્ષનો છેલ્લો દિવસ ગણાશે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે શુભ કામ કરવામાં આવે છે. જાણો શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો. ભોજન બનાવતી વખતે તેમની પ્રિય વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, ઘી અને મધનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આ વસ્તુઓના ઉપયોગથી સ્વાદિષ્ટ ભોજન બનાવો.
પરિવારમાં મૃત સદસ્યની મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ તિથિના એક દિવસ પહેલાં જ પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણ કે બ્રાહ્મણોને તમારા ઘરે ભોજન માટે આમંત્રિત કરવા જોઈએ. બ્રાહ્મણની દેખરેખ હેઠળ નિયમ પ્રમાણે શ્રાદ્ધ કરવાનું વધુ શુભ રહે છે. શ્રાદ્ધ માટે સૌથી સારો સમય બપોરનો ગણાય છે. 12 વાગ્યા પછી શ્રાદ્ધ કર્મની શરૂઆત કરવી જોઈએ.
શ્રાદ્ધ પક્ષમાં આમંત્રિત કરવામાં આવેલા બ્રાહ્મણોને ભોજન કરવા માટે દક્ષિણ દિશામાં બેસાડવા જોઈએ. આ દિશા પિતૃઓની દિશા ગણાય છે. આ દિશામાં કરાવવામાં આવેલા ભોજનથી પિતૃઓને તૃપ્તિ મળે છે. એવી માન્યતા છે. ભોજનમાંથી થોડો ભાગ ગાય, કૂતરા, કાગડા, દેવતા અને કીડીઓ માટે કાઢવો જોઈએ. કૂતરા અને કાગડા માટે કાઢવામાં આવેલ ભોજન કૂતરા અને કાગડાને જ ખવ઼ડાવવા જોઈએ. આ ભોજન કોઈ બીજાને આપવાથી બચવું જોઈએ. દેવતા અને કીડીઓ માટે કાઢવામાં આવેલ ભોજન ગાયને ખવડાવી શકાય છે.
શ્રાદ્ધ શરૂ કરતાં પહેલાં હાથમાં જળ, અક્ષત અર્થાત્ ચોખા, ચંદન, ફૂલ અને તલ લઈને સંકલ્પ લેવો જોઈએ. તેની માટે બ્રાહ્મણની મદદ લઈ શકો છો. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ તેના માથા પર તિલક લગાવો અને પોતાની શક્તિ પ્રમાણે કપડાં, અન્ન અને દક્ષિણાનું દાન કરો. ભોજન અને દાન-દક્ષિણા પછી બ્રાહ્મણોને આદરપૂર્વક ઘરના દરવાજા સુધી છોડવા જોઈએ. આ સંબંધમાં એવી માન્યતા ચે કે બ્રાહ્મણોની સાથે પિતૃઓ પણ આવે છે અને જ્યારે તેઓ જાય છે ત્યારે તેમની સાથે પિતૃઓ પણ આપણા ઘરેથી ચાલ્યા જાય છે.