નવજોત સિંહ સિદ્ધુ વતી તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડર કરવા માટે વધુ સમય આપવાની માંગ કરી છે. સિંઘવીએ સ્વાસ્થ્યના કારણોને ટાંકીને આત્મસમર્પણ માટે થોડા અઠવાડિયાના સમયની માંગ કરી છે. જસ્ટિસ ખાનવિલકરની ખંડપીઠે સિંઘવીને આ અંગે યોગ્ય અરજી દાખલ કરવા અને CJIની બેંચ સમક્ષ સુનાવણી માટે વિનંતી કરવા જણાવ્યું હતું.
સિંઘવી ઈચ્છતા હતા કે જસ્ટિસ ખાનવિલકરની બેન્ચ તેમની અરજી પર આજે જ સુનાવણી કરે, પરંતુ જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે તેની સુનાવણી માટે વિશેષ બેન્ચની રચના કરવી પડશે. તમે તમારી વાત ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ મુકો.