નવી દિલ્હી : કોરોના વાયરસ સંકટ વચ્ચે ખાનગી એરલાઇન્સ કંપની સ્પાઇસજેટે તેના કેટલાક પસંદગીના કર્મચારીઓને વેતન વગર રજા પર મોકલવાનો નિર્ણય કર્યો છે. કંપની 50 હજાર કરતા વધુ પ્રતિ માસ પગાર મેળવતા કર્મચારીઓને રોટેશનને આધારે રજા પર મોકલશે.
સૂત્રોએ 3 મે સુધી એરલાઇન રદ કરવાની વચ્ચે આ માહિતી રવિવારે (19 એપ્રિલ) આપી હતી. સૂત્રો કહે છે કે, આ સિસ્ટમ આગામી ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવશે.
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, સ્પાઇસ જેટના કર્મચારીઓને જોકે એપ્રિલનો પગાર મળે તેવી સંભાવના છે. કોરોના વાયરસના ચેપના પ્રસારને રોકવા માટે, 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન વ્યાપારી ઉડાનો રદ કરવામાં આવી છે. હવે લોકડાઉન 3 મે સુધી લંબાવી દેવામાં આવી છે.
અગાઉ સ્પાઇસ જેટ દ્વારા લોકડાઉન વધારવાની જાહેરાત બાદ 3 મે સુધી તમામ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સ બંધ રાખવાની જાહેરાત કરી હતી. વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટ 3 મે સુધી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે. 3 મે સુધી ટિકિટ બુક કરાવનારા મુસાફરોના પૈસા ક્રેડિટ શેલ તરીકે સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનું એરલાઇન્સ દ્વારા જણાવાયું હતું.