જગન્નાથ રથયાત્રાના આયોજનને લઈ હજું પણ આશાનું કિરણ બાકી છે. એક મુસ્લિમ સમાજસેવીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પુનઃવિચારણા અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવા અંગે સુપ્રીમે પુનઃવિચાર કરવો જોઈએ. પુરી શહેરને સંપૂર્ણ લોકડાઉન કરી મંદિરના પૂજારીઓ તથા સેવકો દ્વારા પણ આ રથયાત્રા કાઢી શકાય છે. શ્રી જગન્નાથ રથયાત્રાની પરંપરાને તૂટતી બચાવી શકાય છે.
આ અરજી પર આગામી રવિવાર અથવા સોમવારે સુનાવણી થઈ શકે છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે જાહેરહિતની એક અરજી પર સુનાવણી કરતા કોરોના વાઈરસને લીધે 23 જૂનના રોજ નિકળનારી જગન્નાથ રથયાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. આ નિર્ણય પર પુનઃવિચારણા કરવા ઓરિસ્સાના માયાગઢ જિલ્લાના આફતાબ હુસૈને શુક્રવારે એક અરજી દાખલ કરી છે. હુસૈનના વકીલ પ્રણયકુમાર મોહપાત્રાએ કહ્યું કે શ્રી જગન્નાથ મંદિરની પરંપરા અને સમગ્ર ઓરિસ્સાના લોકોની આસ્થાને ધ્ચાનમાં રાખી સુપ્રીમ સમક્ષ આ અરજી કરવામાં આવી છે.