નવી દિલ્હી : ગૃહમંત્રાલયે લોકડાઉન દરમિયાન ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા બિન-જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. ઇ-કોમર્સ કંપનીઓને 3 મે સુધી લોકડાઉનમાંથી મુક્તિ મળશે નહીં. કંપનીઓ ફક્ત આવશ્યક માલ પહોંચાડી શકશે.
કોરોનાવાયરસ રોગચાળાને રોકવા માટે લોકડાઉન વચ્ચે બિન-આવશ્યક ચીજવસ્તુઓની વેચવાની ઇ-કોમર્સ કંપનીઓની આશાને જોરદાર ઝટકો લાગ્યો છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, હવે બિનજરૂરી ચીજોનું વેચાણ લોકડાઉન સમાપ્ત થયા પછી જ થઈ શકે છે. અગાઉ, કેન્દ્રએ 20 એપ્રિલથી ઇ-કોમર્સ કંપનીઓને બિન-આવશ્યક ચીજોના વેચાણને મંજૂરી આપી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે ટિ્વટ કર્યું હતું, “લોકડાઉન દરમિયાન ઈ – કોમર્સ કંપનીઓ દ્વારા બિન-જરૂરી ચીજોના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રહેશે.”