આદિવાસી વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્ગારા તાપ-નર્મદા લિંક પ્રોજેકટને લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી તેને લઇ લાખો આદિવાસી સમાજના લોકો ગાંધીનગર સહિત જુદા-જુદા જિલ્લાઓમાં સરકાર સામે મેદાને પડ્યા હતા અને વિરોધનો શાસ્ત્ર ઉગામ્યુ હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. તેને ઘ્યાનમાં રાખી અને આદિવાસીઓને મનાવવા કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારના સયુંકત્ નિર્ણય તાપી-પાર નર્મદા લીંક પ્રોજેકટ કાયમી માટે રદ કરવાનો નિર્ણય લીધો છે ફરી એકવાર ઉગ્રવિરોધ સામે સરકાર ઘૂટણિયે પડી છે જણાવી દઇએ કે આદિવાસી સમાજના ઉગ્ર વિરોધને લઇ રાજ્યસરકારે 28માર્ચના રોજ આ પ્રોજેકટ સ્થગિત કર્યુ હતુ સરકારના તાપી નર્મદા લીંક પ્રોજકેટને લઇ આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીક્ળયો હતો આદિવાસી સમાજના જણાવ્યા અનુસાર જે પ્રકારે કેવડિયા વિકાસમાં આદિવાસી જમીન જંગલ છીનવી લેવાયુ તેવું હવે નહી થવા દઇએ
સરકાર પર ભારે દબાણ બાદ ગુજરાતના આદિવાસી મંત્રીઓ દ્ગારા કેન્દ્ર સરકારનો તાપી નર્મદા રિવર લીક પ્રોજકેટ રદ કરવા કેન્દ્ર ગૃહમંત્રી અમિતશાહ અને કેન્દ્ર વિત્તમંત્રી નિર્મલા સીતારામણને રજૂઆત કરવા દિલ્હી પહોંચ્યા હતા આદિવાસી સમાજના ધારાસભ્ય અને લોકોની લાગણીઓને સરકાર સમક્ષ મુકવામાં આવી હતી
આ અંગે પ્રદેશ પ્રમુખે સી આર પાટીલે તાપી-નર્મદા લિંક પ્રોજકેટ પર નિવેદન આપી કોંગ્રેસ ઘેર્યો હતો કોંગ્રેસ આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરે છે. આ યોજના કોંગ્રેસ શાસનકાળ દરમિયાન વિચાર આવ્યુ હતુ અને સાઈન ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહ હતાં જે તે સમયે ગુજરાત મુખ્યમંત્રીએ આ યોજનાને મંજુરી આપી ન હતી આ યોજનાને અમે સ્થગિત કરી દઈએ છીએ. અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરતા હોય તો જાણ કરજો. ચૂંટાયેલા પ્રતિનિધિનો સંપર્ક કરજો, કોઇ તમારો અધિકાર છીનવી શકે નહીં.’
Saturday, May 18