હરિયાણાઃ આખો દેશ જ્યારે હોળીના તહેવારો ઉજવવા માટે વ્યસ્ત હતી ત્યાં હરિયાણામાં એક દર્દનાક ઘટના બની હતી. હરિયાણાના ઝજ્જર જિલ્લાના દુજાનામાં દિલ્હીના એક ગેસ્ટ ટીચરની કપરીણ હત્યા કરવામાં આવી હતી. આ શિક્ષક હોળીની રજાઓમાં પોતાના ઘરે આવ્યો હતો. જેના ઉરપ ત્રણ બુકાનીધારી યુવકોએ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હોળીના તહેવાર પર ગામ આવેલો દિલ્હીનો આ ગેસ્ટ ટીચર એક ચીકન શોપ પર બેઠો હતો. આ દરમિયાન બદમાશોએ તેની પર હુમલો કરી દીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતકના શબને કબજામાં લઈને મોર્ચરીમાં મોકલી આપી તપાસ શરુ કરી દીધી. મૃતક યુવકની ઓળખ અનિલ તરીકે થઈ છે.
મૃતક યુવક નજફગઢની એક સરકારી સ્કૂલમાં ગેસ્ટ ટીચર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. હોળી પર પોતાના પરિવારને મળવા ગામે આવ્યો હતો. રવિવારે જ્યારે તે ગામની નજીક જ હાઈવે પર એક ચિકન શોપમાં બેઠો હતો ત્યારે એક બાઇક પર સવાર થઇને ત્રણ બદમાશ આવ્યા.
તેઓએ અનિલ પર ફાયર કરવાનું શરૂ કરી દીધું. એક ગોળી અનિલના હાથ પર વાગી. ત્યારબાદ તે ખતરાને પારખી જતાં ત્યાંથી ભાગવા લાગ્યો. હુમલાખોર પણ તેની પાછળ-પાછળ ગયા અને તેઓએ થોડાક જ અંતર પર અનિલ પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું.
મળતી માહિતી મુજબ, અનિલના પરિવારનો નજીકના એક ગામના કેટલાક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો . પોલીસને આ મામલામાં અનિલના પિતા વિજયની તરફથી ફરિયાદ મળી છે કે તેમની પર સંજય નામના યુવકે પોતાના પરિવારની સાથે જીવલેણ હુમલો કર્યો હતો.
આ મામલામાં સંજયની ધરપકડ નથી થઈ. બીજી તરફ રવિવારે જ્યારે તે દવા લેવા માટે ઘટનાસ્થળની થોડેક દૂર આવ્યા તો તેમને ગોળીનો અવાજ સંભળાયો. ઘટનાસ્થળે તેમણે સંજયને ઓળખી લીધો હતો. તેમને પૂરી આશંકા છે કે સંજયે જ અન્ય લોકોની સાથે મળી દીકરાની હત્યા કરી દીધી છે.