Thane માં સિનેગોગ ચોક પાસે સ્થિત યહૂદી ધર્મસ્થળમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર છે. માહિતી મળતાની સાથે જ આ ધર્મસ્થળની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ યહૂદી ધર્મસ્થળ પર પહોંચી ગઈ છે. ત્યાં શોધ કાર્ય ચાલી રહ્યું છે. થાણે પોલીસે આસપાસના રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દીધા છે.
વહીવટીતંત્રને એક ઈ-મેલ મળ્યો હતો જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે યહૂદી ધર્મસ્થળમાં બોમ્બ છે. આ માહિતી મળતા જ વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. હાલ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
RBIમાં બોમ્બ એલર્ટના કારણે ગભરાટ
બે દિવસ પહેલા મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસમાં ઈમેલ દ્વારા અનેક બેંકોમાં બોમ્બ મુકવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઈમેલ મોકલનાર ‘ખિલાફત ઈન્ડિયા’નો હોવાનો દાવો કરે છે. ધમકી આપનાર વ્યક્તિએ મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માંગ કરવામાં આવી હતી. મુંબઈમાં કુલ 11 જગ્યાએ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મુજબ આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થવાનો હતો. જો કે આવું કંઈ બન્યું ન હતું.પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી હતી પરંતુ ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ સંદર્ભમાં, એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.