હેલ્લો એવરીવન. કમિશનર સર, ડેપ્યુટી કમિશનર સર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સર, ઓલ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સર. આપ મને ઓળખો જ છો. તારીખ 6 થી મને જમાલપુરમાં મેડિકલ ઓફિસર તરીકેનો ચાર્જ સુપરવાઇઝર અને એમઓ રજા પર જતાં આપાયો હતો. મેં મારી નીતિ, ખંત અને જવાબદારીથી ત્યાં કામ કર્યું. મને 7મી તારીખથી તકલીફો શરૂ થઇ ગઇ હતી. 14મીએ મેં એલજી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી ત્યારે ડે. હેલ્થ ઓફિસર ઓઝા સાહેબનો ફોન આવ્યો કે રૂપલબેન તમે વસ્ત્રાલમાં હાજર થાવ. મેં સરને રિક્વેસ્ટ કરી કે સર આઇ એમ નોટ વેલ. હું ત્યાં લિટરલી સૂઇ ગઇ હતી. ત્યાં ડે. હેલ્થ ઓફિસર ખરાડી સાહેબનો ફોન આવે કે રૂપલબેન તમે વસ્ત્રાલ હાજર થાવ. મારો રિપોર્ટ મેં 14મીએ કરાવ્યો જે ચાર દિવસ પછી નેગેટિવ આવ્યો. હું વસ્ત્રાલ વોર્ડમાં ગઇ. વસ્ત્રાલમાં પણ મને બિલકુલ સારું ન હતું રહેતું. મારી તબિયત ખૂબ જ ખરાબ હતી. કાલનાં દિવસે રાત્રે મારી તબિયત ખૂબ જ ખરાબ થતાં હું એસવીપી હોસ્પિટલમાં આવી. ત્યાં એએમસીનાં મેડિકલ ઓફિસરની કોઇ જ વેલ્યુ નથી. ત્યાં જનરલ માણસની જેમ મેડિકલ ઓફિસરને બેસાડી દેવામાં આવે છે. હું એએમસી પારધી સાહેબનો આભાર માનું છું કે છ દિવસની ઓળખાણ છતાં તરત વાત કરી. મને આઇસોલેશન વોર્ડમાં વ્યવસ્થા કરી આપી. ડોક્ટર ખાલી એક બે વખત જ આવ્યા રાતે. મારું કાઉન્સેલિંગ કર્યું કે કોવિડ મગજમાંથી કાઢી નાંખો. આજે આખા દિવસ દરમિયાન મને બ્રધર સિવાય કોઇનો ફોન નથી આવ્યો કે તમે કઇ કન્ડિશનમાં છો. જો મને કોઇ તકલીફ હોય તો હું કોને વાત કરું હું ડોક્ટર છું તો હું કોની સાથે. અમે આટલા બધા પેશન્ટમાં 104માં ફરિયાદો સોલ્વ કરી છે, પણ એક આજે મેડિકલ ઓફિસરને તકલીફ છે ત્યારે કોઇ સાંભળવા તૈયાર નથી.