Budget 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ પર કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રિસર્ચ અને ઈનોવેશન માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ કર મુક્તિના વિસ્તરણની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખીને મૂડીખર્ચને 11 લાખ 11 હજાર 111 કરોડ રૂપિયાની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી આપવામાં આવી છે.
#WATCH | PM Modi on interim Budget says, “Income-tax remission scheme will provide relief to 1 crore people from the middle class. In this budget, important decisions have been taken for the farmers.”#Budget2024 pic.twitter.com/Lg2fRnMJS5
— ANI (@ANI) February 1, 2024
દેશનું ભવિષ્ય ઘડવાનું બજેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ પર કહ્યું હતું કે આજનો બજેટ માત્ર વચગાળાનું બજેટ નથી પરંતુ તે સર્વસમાવેશક અને નવીન પણ છે. આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે – યુવા, ગરીબ, મહિલાઓ, ખેડૂતો. આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે.
4 કરોડથી વધુ મકાનો બનાવ્યા
પીએમ મોદીએ કહ્યું કે અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે, હવે અમે 2 કરોડ વધુ નવા ઘર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે 2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો, હવે આ ટાર્ગેટ વધારીને 3 કરોડ કરવામાં આવ્યો છે.
ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ પર કહ્યું કે આજે આ બજેટમાં ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. NANO DAP નો ઉપયોગ, પ્રાણીઓ માટે નવી યોજનાઓ, PM મત્સ્ય સંપદા યોજનાનું વિસ્તરણ અને સ્વનિર્ભર તેલ બીજ અભિયાન ખેડૂતોની આવકમાં વધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે.