નવી દિલ્હીઃ ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. ગત સપ્તાહથી કોરોના સંક્રમણની ગતિ ઉપર બ્રેક લાગી રહી છે. પરંતુ કોરોના મહામારીથી મરનારા લોકોની સંખ્યામાં ઉતાર-ચડાવ આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,21 લાખ નવા કેસો નોંધાયા છે. જે બે મહિનામાં એક દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મરનારાની સંખ્યામાં ફરીથી ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3300થી વધારે લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.
વલ્ડોમીટર અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.21 લાથી વધારે નવા કેસ નોંધાયા છે જ્યારે 3382 કોરોના દર્દીઓના મોત નીપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે પોઝિટિવિટી રેટની તુલનાએ રિકવરી રીટે વધારે હોવાના કારણે કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
– છેલ્લા 24 કલાકમાં કુલ નવા 1,21,476 કેસ
– છેલ્લા 24 કલાકમાં કુલ 3382 દર્દીના મોત
– દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 2,86,93,835
– દેશમાં અત્યાર સુધી સાજા થયેલા કોરોના દર્દીઓનો આંકડો-2,86,87,130
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણના મામલાઓમાં પ્રતિદિન ઘટતા રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર ઉપર કોરોના સંક્રમણનો દૈનિક દર 6 ટકા છે. જ્યારે કોરોના સંક્રમણથી સાજા થયાનો દર 93 ટકાથી ઉપર છે.