અયોધ્યામાં પાંચ એકર જમીન પર મસ્જીદ બનાવવા માટે પહેલું દાન એક હિંદૂ શખ્સે આપ્યુ છે. અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે લખનૌ યુનિવર્સિટીનાં લૉ ડિપાર્ટમેન્ટના ટીચર રોહિત શ્રીવાસ્તવે 21 હજાર રૂપિયાનું દાન આપીને હિંદુ-મુસ્લિમ એકતાનું મિસાલ રજૂ કર્યુ છે. રોહિતે દાનનો ચેક યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડનાં ઈંડો-ઈસ્લામિક ફાઉન્ડેશનને આપવામાં આવ્યુ છે.અયોધ્યામાં મસ્જીદ નિર્માણ માટે ઈંડો-ઈસ્લામિક ફાઉન્ડેશનનું ગઠન કરવામાં આવ્યુ છે. રામ મંદિર નિર્માણ માટે દેશ-વિદેશથી દાન આપવામાં આવી રહ્યુ છે. તો રોહિત શ્રીવાસ્તવે મસ્જીદને દાન આપીને ધાર્મિક એકતાની મિસાલ રજૂ કરી છે. રોહિતનાં પહેલાં ચેકની સાથે જ મસ્જીદ માટે દાન મળવાની શરૂઆત થઈ ગઈ છે. રોહિત શ્રીવાસ્તવે મસ્જિદ માટે દાન ચેક ભારત-ઇસ્લામિક સાંસ્કૃતિક ફાઉન્ડેશનના સચિવ અને ટ્રસ્ટી મોહમ્મદ રશીદને સોંપ્યો. રોહિતની પહેલ અંગે અતહર હુસેને ખુશી વ્યક્ત કરી હતી.
જણાવી દઈએ કે અગાઉ ઈન્ડો-ઇસ્લામિક ફાઉન્ડેશને કહ્યું હતું કે તે મસ્જિદના નિર્માણ માટે માત્ર કાયદેસરના નાણાં સ્વીકારશે, ખોટી રીતે મેળવેલા પૈસા મસ્જિદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં. ખાસ કરીને વીજળી ચોરી, ટેક્સ ચોરી, સંઘરાખોરી, લાંચ મેળવીને ભેગા કરેલા પૈસાની ટ્ર્સ્ટને જરુર નથી.ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં મંદિર નિર્માણ માટે જમીન આપવાનો ચુકાદો આપવાની સાથે સાથે સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે પાંચ એકર જમીન પરણ ફાળવી હતી.આ મસ્જિદનુ પણ નિર્માણ કાર્ય શરુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આ મસ્જિદની ડિઝાઈન મોર્ડન આર્કિટેક્ટ પર આધારિત હશે.જેની ડિઝાઈન જામિલા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના આર્કિટેક્ટર વિભાગના હેડ પ્રો.અખ્તર તૈયાર કરી રહ્યા છે.વાસ્તવમાં, પાંચ એકર જમીનમાં, મસ્જિદની સાથે એક હોસ્પિટલ, એક ઈન્ડો-ઇસ્લામિક સંશોધન કેન્દ્ર અને સમુદાય રસોડું બનાવવામાં આવશે. સંશોધન કેન્દ્રમાં એક પુસ્તકાલય અને એક સંગ્રહાલય શામેલ હશે. સુની વકફ બોર્ડના અધ્યક્ષ ઝુફર ફારુકી અને IICFના સ્થાપક ટ્રસ્ટી મોહમ્મદ શુએબની હાજરીમાં આ જમીનની નોંધણી કરવામાં આવી હતી. સોહવાલના નાયબ રજિસ્ટ્રાર મહેન્દ્ર પ્રતાપ મિશ્રાએ જણાવ્યું હતું કે જમીનના સત્તાવાર મૂલ્યાંકનના આધારે તેની અંદાજીત કિંમત 1.54 કરોડ રૂપિયા હતી.