આકાશ એરમાં 40 ટકા હિસ્સો ધરાવતા રાકેશ ઝુનઝુનવાલા છેલ્લીવાર 7 ઓગસ્ટે મુંબઈ-અમદાવાદ વચ્ચે એરલાઇનની ઉદ્ઘાટન ફ્લાઇટ દરમિયાન જાહેરમાં જોવા મળ્યા હતા. ઝુનઝુનવાલાનું રવિવારે સવારે નિધન થયું હતું. તેમણે મુંબઈ એરપોર્ટ પર પોતાના ભાષણમાં કહ્યું હતું કે સામાન્ય રીતે નવ મહિનામાં બાળકનો જન્મ થાય છે પરંતુ અમે આકાશ એરને 12 મહિનામાં તૈયાર કરી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સહકાર વિના આ શક્ય બન્યું ન હોત. ઝુનઝુનવાલાએ કહ્યું કે મારે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માનવો જોઈએ કારણ કે લોકો માને છે કે ભારતની નોકરશાહી ખૂબ જ ખરાબ છે. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અમને આપવામાં આવેલ સહકાર અવિશ્વસનીય છે. ભાષણ આપ્યા બાદ ઝુનઝુનવાલાએ પણ આકાશ એરની પ્રથમ ફ્લાઈટમાં મુસાફરી કરી હતી.
એક નિવેદનમાં, આકાશ એરના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનય દુબેએ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે અમે આકાશ એરમાં તેમનો આભાર પણ યોગ્ય રીતે વ્યક્ત કરી શક્યા નથી. એફોર્ડેબલ એરલાઈન આકાશ એર હાલમાં મુંબઈ-અમદાવાદ અને બેંગ્લોર-કોચી રૂટ પર ફ્લાઈટ્સ ચલાવે છે. 19 ઓગસ્ટથી તે બેંગ્લોર-મુંબઈ રૂટ પર અને 15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ રૂટ પર ફ્લાઈટ્સ શરૂ કરશે.