કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા દેશભરમાં વધીને 52,345 થઈ ગઈ છે. આમાંથી 33 હજારથી વધુ કેસ સક્રિય છે, 15 હજાર લોકો અત્યાર સુધી સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારોએ આપેલી નવી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં 1702 લોકોનાં મોત નીપજ્યાં છે.
બુધવારે જે નવા કેસો સામે આવ્યા છે તેમાં મોટાભાગે શહેરી વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ છે. આ ઉપરાંત, અધિકારીઓએ પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં મૃત્યુદરમાં ઉચા દરની વાત કરી છે.
જો કે આ સાથે કેરળમાં ઇન્ફેક્શનના નવા કેસ નથી આવ્યા તેવા રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. બીજી તરફ, બુધવારે મહારાષ્ટ્રમાં 1200 થી વધુ કેસ નોંધાયા હતા, જે એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
ત્યાંજ વાત કરીએ, મુંબઇની, ત્યાં કોરોના સંક્રમીત લાગવાની કુલ સંખ્યા 10714 રહી છે. છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને પંજાબ એવા રાજ્યો છે જે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.
કેરળમાં પણ 500 થી વધુ કોરોના કેસ છે, પરંતુ બુધવારે એક પણ કેસ સામે આવ્યો નથી. રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકોની રિકવરીને લીધે રાજ્યમાં ફક્ત 30 સક્રિય કેસ બાકી રહ્યા છે.