મેવાતઃ અંગત અદાવતોના કારણે ખૂની ખેલ ખેલાતા રહે છે ત્યારે મેવાતમાંથી ચકચારી ઘટના સામે આવી છે. અહીં જૂની અદાવતમાં એક યુવકની જેસીબીથી કચડીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની લાશ ને કબ્જામાં લઈ સીએચસી નૂંહથી પોસ્ટમોર્ટમ કરાવીને લાશ પરિજનોને હવાલે કરી દીધી છે. પોલીસ એ આ સંબંધમાં કેસ નોંધી મામલાની ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી અબ્દુલ અજીજે પોલીસને જણાવ્યું છે કે તે પોતાના ભાઈની સાથે 17 માર્ચે લગ્નની કાર્ડ આપીને પોતાના ગામ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અમારી પર વારિસ, ઈમરાન, શહરૂન, રહીમ બખ્સ ઉપરાંત જાવેદે લાઠી અને ડંડા જેવા હથિયારોથી તેમની પર હુમલો કરી દીધો.
આ હુમલામાં ઘાયલ હમીદને હુમલાખોરોએ જેસીબીના લોડરની મદદથી ઘટનાસ્થળેથી વારંવાર કરડી દીધો. જેના કારણે તે અધમરો થઈ ગયો. પીડિતનો આરોપ છે કે તેણે બૂમાબૂમ કરતાં આરોપીઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા અને તેણે સમગ્ર ઘટના પોતાના પરિજનોને જણાવી.
દુર્ઘટનાનો એન્ગલ પણ પોલીસ તપાસી રહી છે.
જેસીબી લોડરથી ઘાયલ થયેલા હમીદને તાત્કાલિક સીએચસી સારવાર માટે લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેની નાજુક હાલત જોઈને તેને નલ્હડ મેડિકલ કોલેજ રેફર કરી દીધો. પરંતુ હમીદનું રસ્તામાં જ મોત થઈ ગયું.
પોલીસે આ મામલામાં કેસ નોંધી દીધો છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ હમીદ હવે આ દુનિયામાં નથી રહ્યો. પોલીસે પાંચ લોકોની સામે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ માર્ગ અકસ્માતના એન્ગલથી પણ મામલાની તપાસ કરી રહી છે.