નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેને કારણે ભારતમાં 3 મે સુધી લોકડાઉન છે. ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જારી કરીને લોકડાઉન 2.0માં ગ્રીન ઝોન વિસ્તારોમાં છૂટ વધારવાનો નિર્ણય જારી કર્યો છે.
સરકારની નવી એડવાઈઝરીમાં ફૂડ પ્રોસેસિંગ અને દૂધ પ્રોસેસિંગ યુનિટ, અનાજ દળવાની ઘંટી, બ્રેડ ફેક્ટરી, ઇલેક્ટ્રિક ફેન, મોબાઈલ રિચાર્જની દુકાન, સ્કૂલ સ્ટેશનરી સહિતની દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.
વધુમાં ઉત્પાદનના પરીક્ષણ કેન્દ્રો તેમજ કૃષિ, બીજ અને બાગાયત સંબંધિત સંશોધન કેન્દ્રોને પણ કાર્ય કરવાની છૂટ આ એડવાઈઝરીમાં આપવામાં આવી છે.