આ બિઝનેસમેનને મળ્યું ભારતનું પહેલું પાઈલટ લાઇસન્સ, જાણો એર ઈન્ડિયા સાથે તેનું કનેક્શન
એર ઈન્ડિયાની કમાન તાજેતરમાં ફરી ટાટા ગ્રુપને સોંપવામાં આવી છે. જૂથ માટે તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કોમર્શિયલ પાઈલટનું લાઇસન્સ મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ છે અને એર ઈન્ડિયાનો પાયો કેવી રીતે નાખવામાં આવ્યો હતો.
શું તમે જાણો છો કે ભારતના પ્રથમ પાઈલટનું લાઇસન્સ અને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ વચ્ચેનું કનેક્શન છે? વાર્તા 1929 માં શરૂ થાય છે. આ સ્ટોરી ટાટા ગ્રુપે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે કેવી રીતે ભારતના પ્રથમ વ્યક્તિને કોમર્શિયલ ફ્લાઈટ ઉડવાનું લાયસન્સ મળ્યું અને એર ઈન્ડિયા કેવી રીતે શરૂ થઈ.
10 ફેબ્રુઆરી, 1929 નો એ ઐતિહાસિક દિવસ
ટાટા ગ્રૂપે જણાવ્યું છે કે 10 ફેબ્રુઆરી, 1929ના રોજ, જેઆરડી ટાટા (જહાંગીર રતનજી દાદાભોય ટાટા)ને ભારતનું પ્રથમ કોમર્શિયલ એવિએટર સર્ટિફિકેટ મળ્યું હતું. ટાટા ગ્રૂપે લખ્યું, “10 ફેબ્રુઆરી, 1929ના રોજ, જેઆરડી ‘જે’ ટાટાને ભારતનું પ્રથમ કોમર્શિયલ એવિએટર સર્ટિફિકેટ મળ્યું. આનાથી તેણે 15 વર્ષની ઉંમરે જે સપનું જોયું હતું તે પૂરું થયું…”
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સફળતાએ ભારતની પ્રથમ એરલાઇનની શરૂઆતનો પાયો નાખ્યો. તેમણે કહ્યું કે જેઆરડી ટાટાને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મળ્યા બાદ દેશમાં એરલાઈન શરૂ કરવાના સપના માટે મંચ તૈયાર થઈ ગયો હતો.
જેઆરડી ટાટાએ એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ ઉડાવી હતી
જેઆરડી ટાટાએ ભારતની પ્રથમ એરલાઇન – ટાટા એર સર્વિસ શરૂ કરી. આ એરલાઇન પાછળથી એર ઇન્ડિયા બની. ટાટા ગ્રૂપે જણાવ્યું છે કે જેઆરડી ટાટાએ પણ એરલાઇનની સ્થાપના પછી તેની પ્રથમ ફ્લાઇટ ઉડાવી હતી.
કરાચીથી મુંબઈની પ્રથમ ફ્લાઈટ
1932 માં, ઑક્ટોબર મહિનામાં, તેમણે કરાચીથી મુંબઈ (અગાઉ બોમ્બે) માટે ટાટા એર સર્વિસિસની પ્રથમ ફ્લાઈટ ઉડાવી હતી. તેણે આ ફ્લાઈટ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડાવી હતી. આ સાથે કંપનીએ જેઆરડી ટાટાના લાયસન્સનો ફોટો પણ શેર કર્યો છે.
એરપોર્ટનું નામ જેઆરડી ટાટાના નામ પર રાખવાની માંગ
ફેડરેશન ઑફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને JRD ટાટાની પ્રથમ ફ્લાઇટની વર્ષગાંઠને રાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી મોટા એરપોર્ટનું નામ જેઆરડી ટાટાના નામ પર રાખવામાં આવે. લાઈવ ટીવી