તેરસની સાંજે કોઈ પાત્રમાં તલનું તેલથી યમ દીપક પ્રજવલ્લિત કરો. ત્યારબાદ ગંધ, પુષ્પ, ચોખાથી પૂજન કરો. દક્ષિણ દિશામાં મોઢુ કરીને યમને નિમ્ન પ્રાર્થના કરો.
મંત્ર જાપ:
‘मृत्युना दंडपाशाभ्याम् कालेन श्यामया सह।
त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रयतां मम।
– હવે આ દીવાઓથી યમને ખુશ કરવા બહારની જગ્યાઓ પ્રકાશિત કરો.
– આ પ્રકારે એક અખંડ દીવો ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર કોઈ પણ અનાજ(ઘઉં કે ચોખા) પાથરી તેની પર દીવો મુકો. કહેવાય છે કે આ પ્રકારનું દીપદાન કરવાથી યમ દેવતાના સંકજાથી અને નરકથી મુક્તિ મળે છે.
યમરાજ પૂજન
– આ દિવસે યમના માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દરવાજે મુકો.
– રાતે ઘરની સ્ત્રીયો દીવામાં તેલ નાખીને ચાર બત્તી પ્રગટાવો.