હાલ ગીરના જંગલમાં વેકેશન હોય સામાન્ય લોકોને જંગલમાં જવા પર પ્રતિબંધ હોય ત્યારે કાયદાની ઐસી કી તૈસી કરી ગીરના જંગલમાં મુલાકાત કરી હતી તેમજ જીપ પણ ચલાવી હોવાનો આક્ષેપ થયો હતો.
જીતુ વાઘાણીની જંગલની મુલાકાત પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કાયદો દરેક લોકો માટે સમાન રીતે લાગૂ પડે છે અને જંગલના જે નિયમો છે તેનું પાલન થવું જોઈએ. કાયદાના અમલીકરણમાં ભેદભાવ કરવો જોઈએ નહી. જો પાર્ટીના વડાએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો તેમની સામે પણ કાર્યવાહી થાય. સામાન્ય માણસ સામે કાયદાના અમલીકરણ માટે જે પગલાં ભરાય છે તે જ મોટા માણસ માટે ભરાય.
દરમિયાનમાં આ સંજોગોમાં સ્પષ્ટતા કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે આ રસ્તો પ્રતિબંધિત રસ્તો નથી.અમારા દ્વારા જંગલ ખાતાના તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે.આ રસ્તો સતાધાર થી સાસણ જવાનો રસ્તો હોય,જંગલમાંથી પસાર થતો હોય, રસ્તાની બંને બાજુ જંગલખાતાની ચેક પોસ્ટ છે ત્યાંથી પાસ કઢાવી કોઇપણ રાહદારી દિવસ દરમિયાન આ રસ્તા પરથી પસાર થઇ શકે છે.