દેશના પ્રથમ ગૃહપ્રધાન અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. આ દિનની રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને દિલ્હીના પટેલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પી હતી.વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ, ગૃહપ્રધાન રાજનાથસિંહ સહિત તમામ નેતાઓ લોહ પુરુષને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે સરદાર પટેલની જન્મ જયતી છે. પટેલ ખરા અર્થમાં લોહ પુરુષ હતા. સરદાર પટેલે દેશ માટે આપેલા યોગદાન માટે આપણને ગર્વ છે. સરદાર પટેલના યોગદાનથી જ દેશને સ્વતંત્રતા મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાના રજવાડાઓને ભેગા કરી અંખડ ભારતના નિર્માણ બદલ સરદાર પટેલની પ્રશંસા કરી હતી. દેશની એકતા માટેના શપથ લેવામાં સામેલ થવા દેશવાસીઓને આમંત્રણ આપ્યું હતું.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને દેશ માટે આપેલા બલીદાન અને યોગદાન બદલ અમર રહેશે