4 ડિસેમ્બર આજે નૌસેના દિવસ અોપરેશન ટ્રાઇડેન્ટના કારણે ભારત માટે ગર્વનો દિવસ. વર્ષ 1971માં 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન ટ્રાઇડેન્ટ થયું અને તેની સફળતાની યાદમાં દર વર્ષે આજના દિવસે નૌસેના દિવસને ઉજવાય છે.
1947 અને 1965 અને તે બાદ 1971માં ભારત પાકિસ્તાન સાથે જંગ લડી રહ્યો હતો. આ જંગમાં પૂર્વ પાકિસ્તાનીનાં રૂપમાં બાંગ્લાદેશને ગુમાવવો પાકિસ્તાન માટે સૌથી મોટો ઝટકો હતો. તે ઉપરાતં આ પહેલી તક હતી જ્યારે બંને દેશોની નૌસેના આમને-સામને હતી. આ પહેલાં થલ અને વાયુસેનાએ જ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પણ 4 અને 5 ડિસેમ્બર 1971નાં રોજ પાકિસ્તાનને ઓપરેશન ટ્રાઇડેન્ટમાં જે ઝટકો લાગ્યો તે ક્યારેય નહીં ભૂલી શકે. આ ઓપરેશનમાં ભારતની ક્યારેય ન ભૂલી શકાય તેવી જીત થઇ હતી અને ત્યારથી આજનાં દિવસને ભારત નૌસેના દિવસ તરીકે ઉજવે છે.
આ અભિયાન પાકિસ્તાનના નૌસેનાના મુખ્યમથકને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે, જે કરાચીમાં છે. હિંદુસ્તાનના આ હુમલામાં 3 વિદ્યુત ક્લાસ મિસાઈલ બોટ, 2 એન્ટી-સબમરીન અને એક ટેંકરનો સમાવેશ થયો હતો. કરાચીમાં રાત્રે હુમલો કરવા માટે યોજના ઘડી હતી, કારણ કે પાકિસ્તાન પાસે એવા વિમાન નથી, જે રાત્રે બૉમ્બવારી રોકી શકે.ખુબજ બહાદુરી અને સાવચેતીથી ભારતે અોપરેશન ટ્રાઇડેન્ટ પાર પાડ્યું હતું.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.