નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ટોક્યો ઓલિમ્પિકમાં જતા ભારતીય ટુકડીના ખેલાડીઓ સાથે વાતચીત કરશે અને તેમને પ્રોત્સાહિત કરશે. વડાપ્રધાન મોદી 13 જુલાઈએ સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓલિમ્પિકમાં જતા ભારતીય રમતવીરો સાથે વાત કરશે. 17 જુલાઈએ, ભારતના ખેલાડીઓની પ્રથમ બેચ ટોક્યો જવા રવાના થશે, જ્યાં 23 જુલાઇથી રમતોનો મહાકુંભ શરૂ થવાનો છે. વડાપ્રધાન સાથે યુવા બાબતો અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર અને યુવા બાબતો અને રમત મંત્રાલયના રાજ્યમંત્રી કિરેન રિજિજુ પણ ઉપસ્થિત રહેશે.
પીએમઓ અનુસાર વડા પ્રધાને તાજેતરના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓની સુવિધા માટેની તૈયારીઓનો પણ હિસ્સો લીધો હતો. તેમણે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કેટલાક રમતવીરોના પ્રેરણાત્મક પ્રદશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે દેશવાસીઓને આગળ આવવા અને ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જતા ખેલાડીઓનું પૂરા દિલથી સહયોગ આપવા હાકલ કરી છે.
આ વર્ષે ઓલિમ્પિક્સમાં જનાર ભારતની સૌથી મોટી ટુકડી
પીએમઓએ કહ્યું છે કે આ વખતે ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિક્સમાં 18 રમતનાં 126 રમતવીરો ભાગ લેવા જઈ રહ્યા છે. ભારતના કોઈપણ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા આ રમતમાં સૌથી વધુ સંખ્યા છે.
વળી આ વર્ષે આવી ઘણી સ્પર્ધાઓ છે જેના માટે ભારતે પ્રથમ વખત ક્વોલિફાય કર્યું છે. ભારત તરફથી પહેલીવાર તલવારબાજીમાં ભવાની દેવી ઓલિમ્પિક રમતો માટે ક્વોલિફાય થઈ છે. આ સિવાય, નૌકાયન સ્પર્ધામાં નૈત્રા કુમાનન ઓલમ્પિક રમતમાં ક્વોલિફાઇ કરનારી ભારતની પહેલી મહિલા એથ્લીટ છે, તેમજ સાજન પ્રકાશ અને શ્રીહરિ નટરાજ સ્વિમિંગ ઇવેન્ટમાં ‘એ’ લાયકાત ધોરણ પ્રાપ્ત કરીને ઓલિમ્પિક રમતોમાં ક્વોલિફાય થનારા ભારતના પ્રથમ તરવૈયા છે.