દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ડૂરૂમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકી ઠાર કરવામાં આવેલી છે. આતંકીઓ પાસેથ ભારે માત્રામાં હથિયાર અને ગોળા-બારૂદ મળી આવ્યા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ માર્યા ગયેલા આતંકીમાં હિબ્જ કમાંડર અશરફ મૌલવી અને વેરીનાગના તેના અંગરક્ષક આસિફ હોય શકે છે.
જો કે હજી સુધી આ અંગેની પુષ્ટી કરવામાં આવી નથી. જમ્મૂ-કાશ્મીરના અનંતનગમાં શુક્રવાર રાતથી ચાલી રહેલી સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ સમાપ્ત થઇ ગઇ છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં 2 આતંકીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા છે. અનંતનાગના ડોરુ વિસ્તારમાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે. આતંકીઓ પાસેથી એકે-47 સહિત અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે. આ આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીનના હોવાની માહિતી મળી છે.
ગુપ્ત ઇનપુટને આધારે સેનાના 19 રાઇફલ્સ, જમ્મૂ કાશ્મીર પોલીસ અને CRPFના જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરી દેતા જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. સેના કરેલી જવાબી કાર્યવાહીમાં 2 આતંકીઓ ઠાર થઇ ગયા હતા.