યૂકેના હોમ સેક્રેટરી સાજીર જાવીદે ભારતના ભાગેડુ બિઝનેસમેન અને યૂકેમાં લપાયેલા વિજય માલ્યાના ભારત પ્રત્યાપર્ણનો આદેશ કર્યો છે. હવે વિજય માલ્યાને ભારત સોંપવાનો માર્ગ મોકળો થઈ રહ્યો હોવાનું જણાઈ આવી રહ્યું છે. માલ્યાની વિરુદ્વમાં મની લોન્ડરીંગનો કેસ છે. લીકર માફીયા તરીકે પ્રખ્યાત અને વૈભવી લાઈફ સ્ટાઈલ ભોગવનારા માલ્યી વિરુદ્વમાં ભારત સરકારે અપીલ કરી પ્રત્યાર્પણની માંગ કરી હતી. માલ્યાની પાસે 14 દિવસ છે. આ 14 દિવસમાં માલ્યાએ હોમ સેક્રેટરીના આદેશની વિરુદ્વ કોર્ટમાં અપીલ કરવાની રહેશે.
વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટની લંડન ખાતે આવેલી કોર્ટમાં 10 ડિસેમ્બર-2018 63 વર્ષીય ભારતમાંથી ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ કરવાની અપીલ પર સુનાવણી હાથ ધરવાનું શરૂ કર્યું હતું. સાજીદ જાવીદ યૂકેના પાકિસ્તાન ઓરિજન ધરાવતા મંત્રીએ બે મહિના બાદ પ્રત્યાર્પણનો ઓર્ડર કર્યો હતો.
ત્રીજી ફેબ્રુઆરીએ સેક્રેટરી ઓફ સ્ટેટે માલ્યા સંબંધિત તમામ પુરાવાઓને ધ્યાને લીધા હતા અને પુરાવાને ધ્યાને લીધા બાદ માલ્યાના પ્રત્યાર્પણ અંગે લીલીઝંડી આપી હતી.
હોમ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં માલ્યાની વિરુદ્વમાં છેતરપિંડી, મીન લોન્ડરીંગ અને બોગસ રીતે રૂપિયા ઉસેટી લેવાના કેસ નોંધાયેલા છે. જે ખૂબ જ ગંભીર પ્રકારના છે.
9 હજાર કરોડ રૂપિયાના મની લોન્ડરીંગ કેસમાં 2017માં સ્કોટલેન્ડ યાર્ડે માલ્યા અંગેના કેસો બાદ જમીન પર મૂક્ત કર્યો હતો. હવે માલ્યા કોર્ટના ચૂકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યો છે.