સમાજવાદી પાર્ટીના એમએલસી સ્વામી પ્રસાદ મૌર્યએ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાનો વિરોધ કર્યો છે. પુરસ્કાર પર પ્રતિક્રિયા આપતા, SP ધારાસભ્યએ ટ્વિટ કર્યું કે ભારત સરકારે, નેતાજી મુલાયમ સિંહ યાદવને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરીને, નેતાજીના વ્યક્તિત્વ, કાર્ય અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનની મજાક ઉડાવી છે. જો નેતાજીનું સન્માન કરવું હતું તો તેમને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈતા હતા.
भारत सरकार ने नेताजी श्री मुलायम सिंह यादव को मरणोपरांत पद्म विभूषण पुरस्कार देकर, नेताजी के व्यक्तित्व, कृतित्व एवं राष्ट्र के प्रति किये गये योगदान का उपहास उड़ाया है। यदि नेताजी को सम्मान देना ही था तो भारत रत्न के सम्मान से सम्मानित करना चाहिए था।
— Swami Prasad Maurya (@SwamiPMaurya) January 26, 2023
મૌર્યએ પાર્ટીના અન્ય નેતાઓ પાસેથી માંગ કરી હતી કે સમાજવાદી પાર્ટીના સ્થાપકને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. જણાવી દઈએ કે નેતાજી મુલાયમ સિંહ યાદવને બુધવારે સરકાર દ્વારા મરણોત્તર દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.