તેલંગાણામાં ભાજપ અને TRS કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અધિકારીઓનું કહેવું છે કે જો ફરિયાદ મળશે તો આ મામલે કેસ નોંધવામાં આવશે.
રિપોર્ટ અનુસાર તેલંગાણા બીજેપી ચીફ બંડી સંજય કુમારે સોમવારે પ્રજા સંગ્રામ પદયાત્રા કાઢી હતી. આ દરમિયાન ટીઆરએસ અને બીજેપી કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી હતી. ન્યૂઝ એજન્સી ANIએ અથડામણનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં બંને પક્ષના કાર્યકરો એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે જેઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વીડિયોમાં સ્થિતિ ઘણી તંગ દેખાઈ રહી છે. બીજેપી અને ટીઆરએસના કાર્યકરો એકબીજા પર હુમલો કરી રહ્યા છે, જેમને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જ્યારે પોલીસકર્મીઓ તેમને અથડામણમાંથી ભગાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે કેટલાક કાર્યકરો ત્યાં રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા. કેટલાક લોકો ભાજપનો ઝંડો અને રાષ્ટ્રધ્વજ લઈને ફરતા જોવા મળે છે.
#WATCH | Telangana: Clash b/w BJP & TRS workers during state BJP chief Bandi Sanjay Kumar's Praja Sangrama Yatra, in Jangaon. Injuries reported
Police say, "Both parties attacked each other.Police brought situation under control. If we receive complaint, case will be registered" pic.twitter.com/XB7lSfdoA7
— ANI (@ANI) August 15, 2022
તેલંગાણામાં રાજકીય પારો ઊંચકાયો છે
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય કે. રાજગોપાલ રેડ્ડીએ તેમના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપતાં તેલંગાણામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. રેડ્ડી મુનુગોડે વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે રેડ્ડીના રાજીનામા બાદ ખાલી પડેલી સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં જીત મેળવનારી પાર્ટીને આવતા વર્ષે સૂચિત વિધાનસભા ચૂંટણીમાં ધાર મળી શકે છે.
એક તરફ જ્યાં ભાજપ રાજ્યમાં ટીઆરએસના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવા પેટાચૂંટણી જીતવા માટે ઉત્સુક છે. આ સાથે જ કોંગ્રેસ માટે આ બેઠક જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે, TRS રાજ્યના રાજકારણમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને મુખ્ય પડકાર તરીકે ઉભરી રહેલી ભાજપને રોકવા માટે ચૂંટણી જીતવા આતુર છે.