સરકાર સ્વરોજગારને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે સરકારે ઘણી યોજનાઓ ચલાવી છે. આમાંની એક યોજના પીએમ સ્વાનિધિ યોજના છે. આ યોજના હેઠળ, તમે તમારો વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ ગેરેંટી વિના સરળતાથી લોન લઈ શકો છો.
આ સ્કીમમાં તમે કોઈપણ ગેરંટી વગર સરળતાથી લોન લઈ શકો છો. લોનની રકમની મદદથી તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આમાં સરકાર 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની લોન આપે છે. આ સ્કીમમાં પહેલીવાર 10,000 રૂપિયા, બીજી વખત 20,000 રૂપિયા અને ત્રીજી વખત 50,000 રૂપિયાની લોન મળે છે.
પીએમ સ્વાનિધિ યોજનાના લાભો
નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન લઈ શકાય છે.
તમને સમય પહેલા લોનની ચુકવણી પર 7 ટકા સબસિડીનો લાભ મળે છે.
સરકાર ડિજિટલ પેમેન્ટ કરવા પર કેશબેક પણ આપે છે.
લાભાર્થીને 25 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના કેશબેકનો લાભ મળે છે.
કેવી રીતે અરજી કરવી
તમે કોઈપણ સરકારી બેંકમાં જઈને અરજી કરી શકો છો
અરજી કરવા માટે, અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો જોડો.
આ પછી તમારે જણાવવું પડશે કે તમે કયા બિઝનેસ માટે લોન લઈ રહ્યા છો.
હવે બેંક દ્વારા દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે.
દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ લાભાર્થીને લોન મળશે.
કયા દસ્તાવેજો જરૂરી છે
આધાર કાર્ડ
બેંક એકાઉન્ટ નંબર (બેંક ખાતાની વિગતો)
સરનામાનો પુરાવો
મોબાઇલ નંબર
પાન કાર્ડ