શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે ખરૂ કે, કોઈ વ્યક્તિ આખી જીંદગી કચરો વીણી 10 લાખ ભેગા કરે, બાદમાં આ રકમમાંથી જમીન ખરીદે, ત્યાર બાદ આ જમીન પર પોતાની જ મૂર્તિ લગાવી દે. તમે માનશો કે, આ ફક્ત એક કલ્પના હશે, પણ નહીં સત્ય હકીકત છે. હકીકતમાં જોઈએ તો, તમિલનાડૂના સલેમ જિલ્લાના અથાનુરપટ્ટી ગામના નલ્લાથમ્બીએ પોતાનું આખુ જીવન કચરો વીણવા કાઢી નાખ્યું. તે આજે પણ રસ્તા પર ફેંકી દેવામા આવતી બોટલોને એકઠી કરે છે. કચરો વેચીને તેણે આખી જીંદગીમાં 10 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. જેમાંથી તેણે એક પ્લોટ ખરીદ્યો, તેની પાછળ કારણ એવુ હતું કે, તે પોતાની મૂર્તિ બનાવવા માગતા હતા તથા આ જમીન પર તેને લગાવવી હતી. નલ્લથમ્બીને આખરે તેનું આ સપનું સાકાર થયું. તેણે પોતાની પાંચ ફૂટ ઉંચી મૂર્તિ લગાવી છે.
નલ્લથંબીએ કહ્યું કે, જ્યારે હું નાનો હતો, ત્યારે મારે પોતાનું નામ બનાવવું હતું. મારે મારી એક પ્રતિમા જોઈતી હતી. મેં હવે મારું સપનું પૂરું કર્યું છે. 20 વર્ષ પહેલા તેણે પોતાનો પરિવાર છોડ્યો હતો.નલ્લતથંબી શરૂઆતમાં એક મિસ્ત્રી તરીકે કામ કરતો હતો, પરંતુ તે પરિવાર સાથેના વિવાદ બાદ પોતાનું ઘર છોડી નાસી ગયો. આ પછી તે સલેમ જિલ્લાના આથનુરપટ્ટી ગામમાં ગયો. નલ્લથંભીની પત્ની અને બાળકો હજી પણ તેમના પૂર્વ ગામમાં રહે છે. મિસ્ત્રી તરીકે કામ કરતી વખતે એકત્રિત કરેલા પૈસા અને કચરામાંથી તેણે વજાપાડી-બેલુર ગામ રસ્તા પર બે પ્લોટ ખરીદ્યા હતા. તે દરરોજ કચરો ધોઈને 250 થી 300 રૂપિયા કમાય છે. નલ્લથંમ્બીએ જણાવ્યું હતું કે, જમીન ખરીદ્યા પછી તેણે એક શિલ્પકારને એક લાખ રૂપિયા આપ્યા અને તેની મૂર્તિ બનાવવાનું કહ્યું. આ પછી શિલ્પીએ તેની મૂર્તિ તૈયાર કરી અને નલ્લથંમ્બીએ તેને ખરીદેલી જમીન પર સ્થાપિત કરી.