પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને પ્રથમ લાઈનમાં મોદી સરકારએ સ્થાન નથી આપ્યું. આ વખતે તેમને ચોથી લાઈનમાં સ્થાન આપવામાં આવ્યું છે. કૉંગ્રેસ આ વાતને લઇ નારાજ છે. કોંગ્રેસ પ્રમુખે હમેંશા પ્રથમ લાઈનમાં જ સ્થાન મેળવ્યું છે. જયારે આ વખતે રિપબ્લિક ડે ઉજવણીમાં તેમને ચોથી હરોળમાં બેસવું પડશે. રાહુલ ગાંધીને પ્રથમ હરોળમાં સ્થાન નમળતા કૉંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કૉંગ્રેસે મોદી સરકાર પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યું જો અમિત શાહને પહેલી હરોળમાં સ્થાન મળે તો રાહુલ ગાંધી પણ અધ્યક્ષ છે. તેમને પણ પહેલી હરોળમાં સ્થાન મળવું જોઈ. કૉંગ્રેસ પાર્ટી એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સૌથી મોટા વિરોધ પક્ષના નેતા છે અને અત્યાર સુધી વિરોધી પક્ષના વડાને પ્રથમ લાઇનની બેઠક મળી છે. મોદી સરકાર સસ્તું રાજકારણ કરી રહી છે. આસિયાનના 10 પ્રમુખપદના ઉમેદવારો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે જોડાવાના છે.વર્ષ 1950 થી પ્રજાસત્તાક દિવસના મુખ્ય ગેસ્ટનું મહત્વ રહ્યું છે.