ભારતીય રેલવેની નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં વંદે ઓર્ડિનરી કહેવાતી આ ટ્રેનમાં નોન-એસી બોગીઓથી લઈને અનરિઝર્વ્ડ ટિકિટો સહિત ઘણા ફાયદા છે. આ સિવાય સરકારે નવી ટ્રેનોની ટેક્નોલોજી અને બોગીની અંદરની સુવિધાઓમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. અમૃત ભારત ટ્રેનમાં ઘણા નવા પ્રયોગો કરવામાં આવ્યા છે, જે સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન જેવી જ લાગે છે.
અમૃત ભારત ટ્રેનનું ભાડું અન્ય મેલ/એક્સપ્રેસ ટ્રેનો કરતા 15 થી 17 ટકા વધુ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. પ્રારંભિક બે ટ્રેનો અયોધ્યા અને દરમભાગ અને બેંગલુરુ અને માલદા વચ્ચે દોડશે.
કઈ સુવિધાઓ
અમૃત ભારત એક્સપ્રેસમાં 22 કોચ હશે, જેમાં 12 સેકન્ડ ક્લાસ અને 8 જનરલ ક્લાસ કોચ હશે. આ સિવાય ગાર્ડના 2 કમ્પાર્ટમેન્ટ હશે. ઉપરાંત રેલવેએ દિવ્યાંગોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. PM મોદી 30 ડિસેમ્બર એટલે કે શનિવારે પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે.
પુશ-પુલ ટેક્નોલોજી પર કામ કરતી આ ટ્રેનના બંને છેડે WAP5 લોકોમોટિવ છે. તે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પુશ-પુલ ટેક્નોલોજી હેઠળ એક એન્જિન આગળ રહે છે અને ટ્રેનને ખેંચવાનું કામ કરે છે. જ્યારે, અન્ય એક ટ્રેનને આગળ ધકેલે છે.
આરામદાયક પ્રવાસ
અમૃત ભારત ટ્રેનમાં લગેજ રેક અથવા રેક પર કુશન પણ લગાવવામાં આવે છે. આ ઉપરાંત સામાન્ય પરંપરાગત ટ્રેનોની સરખામણીમાં સીટોને પણ આરામદાયક અને આકર્ષક બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે અમૃત ભારત એક્સપ્રેસમાં પણ મેટ્રોની સીલબંધ ગેંગવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી મુસાફરો એક કોચથી બીજા કોચમાં સરળતાથી પહોંચી શકશે.
ભારતીય રેલવેએ મુસાફરોના ગેજેટ્સનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. આ ટ્રેનમાં દરેક સીટ પાસે ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ સાથે મુસાફરોને એક બોટલ હોલ્ડર મળશે, જેને સરળતાથી ફોલ્ડ કરી શકાય છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને વધુ આંચકો નહીં લાગે. જમીન પરની એક પટ્ટી અંધારામાં ચાલતા પ્રવાસીઓને રસ્તો બતાવશે.