ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ 69મા પ્રજાસત્તાક દિવસે પોતાનું દર્દ સોશયલ મીડિયા દ્વારા શેયર કર્યું છે. સ્વામીએ લખ્યુ છે કે વડાપ્રધાન મોદી દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. જો કે ભાજપમાં પણ ઘણાં લોકપ્રિય નેતાઓ છે. પરંતુ તેમને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર લખ્યુ છે કે નિસંદેહ વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય છે. પંરતુ એ દુ:ખદ છે કે પાર્ટીના અન્ય લોકપ્રિય નેતાઓને કિનારે ધકેલી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે, સ્વામી તાજેતરના મહીનાઓમાં ઘણાં પ્રસંગે મોદી સરકારની આર્થિક નીતિઓ અને ક્રિયાકલાપોની ટીકા કરી ચુક્યા છે.
જીડીપીના આંકડા સંદર્ભે તેમણે કહ્યુ હતુ કે, આંકડાઓમાં કદાચ હેરફેર કરવામાં આવી છે અને આમ થવું શક્ય છે. જો કે તેમણે વડાપ્રધાન મોદીની ટીકા કરી ન હતી. ડિસેમ્બરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સ્વામીએ વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે તેઓ જે પણ કહે છે. તેમાં પાર્ટીની ભલાઈ છૂપાયેલી હોય છે. સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ કહ્યું હતું કે તેઓ જે પણ કંઈ કહે છે. તેને પાર્ટી ચાર કે પાંચ માસમાં લાગુ કરે છે.