કેરળના પલક્કડ જિલ્લામાં 104 વર્ષીય ખેડૂતે પેટની જટિલ સર્જરી કરાવ્યા પછી પાંચમા દિવસે જ ખેતીકામ શરૂ કરી દીધું. કિટ્ટુચામીના આંતરડાંમાં બ્લોકેજ હોવાથી તેમનું ઓપરેશન કરવું પડ્યું હતું. ઓપરેશનમાંથી રિકવર થવામાં કિટ્ટુચામીને 48 કલાકનો સમય લાગ્યો હતો. વર્ષોથી ખેતીકામ કરતા કિટ્ટુચામીને થોડા સમય પહેલાં પેટનો દુખાવો થતો હતો. ડોક્ટર તપાસમાં તેમને આંતરડાંમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. પરિવારની સહમતિ બાદ ડો. એસ. વિજયકુમારની ટીમે કિટ્ટુચામીનું ઓપરેશન કરીને બ્લોકેજ દૂર કર્યો છે. આ જટિલ ઓપરેશન બાદ સાજા થવામાં તેમને માત્ર 48 કલાકનો જ સમય લાગ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, કિટ્ટુચામીને અત્યાર સુધીમાં શરીરમાં કોઈ મોટી બીમારી આવી નથી. હાલ તેઓ સ્વસ્થ છે. ઓપરેશનમાંથી સ્વસ્થ થઈને તેમણે ખેતીએ જવાનું પણ શરૂ કરી દીધું છે. કિટ્ટુચામીનિસ સર્જરી કરનાર ડો. વિજયકુમારે કહ્યું કે, દર્દીની સારવાર કરતા અમને 90 મિનિટનો સમય લાગ્યો હતો. તેમની ઉંમર વધારે હોવાથી અમે ટાંકાને બદલે ક્લિપનો ઉપયોગ કર્યો હતો. નસીબજોગે તેમને ઓપરેશન બાદ રિકવરી જલ્દી આવી ગઈ આથી તેમને જલ્દી ડિસ્ચાર્જ કરી દીધા.
Friday, May 10