યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2018 માં દર વર્ષે 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.આ નિર્ણય જાહેર થયા બાદ 50 થી વધુ દેશોએ આ નિર્ણય અપનાવ્યો.સમગ્ર વિશ્વમાં ત્યારથી આ તારીખ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વિકાસનો અભાવ ગરીબી-અશાંતિ હોય તે બધોને એક માત્ર એક ઉપાય શિક્ષણ જ છે.આજે 24 જાન્યુઆરીનો દિવસ દુનિયા માટે ઘણો ખાસ છે.
“ચેન્જિંગ કોર્સીસ – ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન” વર્ષ 2022 માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની થીમ છે. છેલ્લાં બે વર્ષમાં શિક્ષણ ક્ષેત્ર પર થયેલી અસરનને ધ્યાનમાં રાખતા ફરી એકવાર શિક્ષણને તમામ લોકો માટે સરળતાથી સુલભ કરી શકાય તેવા માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી છે.શિક્ષણના મહત્વ વિશે દરેકમાં જાગૃતિ આવે તે માટે આ દિવસ ઉજ્જવવાંમાં આવે છે.મનુષ્યના જીવનમાં શાંતિ અને વિકાસ થાય એ સૌથી મહત્વની બાબતો છે અને આ બાબતો પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો શિક્ષણ છે.દરેક વ્યક્તિ અને બાળકોને શક્ય તેટલી વહેલી તકે મફત અને પાયાનું શિક્ષણ મળે તે માટે સમગ્ર વિશ્વમાં મુખ્ય થીમ છે- લર્નિંગ ઇનોવેશન અને ફાઇનાન્સિંગ.ગયા વર્ષે આ દિવસની થીમ “કોવિડ-19 જનરેશન માટે શિક્ષણને પુનઃજીવીત કરો અને પુનઃપ્રાપ્ત કરો હતી.
લાખો બાળકો હજુ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતા નથી.આ ક્ષેત્રે ઓનલાઈન માધ્યમે અમુક અંશે ઘણી ખરી મદદ કરી છે છતાં હજુ પણ ઘણી જગ્યા ઈન્ટરનેટની વ્યવસ્થા નથી. વિવિધ આંકડાઓ પ્રમાણે વિશ્વભરમાં કરોડો બાળકો હજુય શાળાએ જતા નથી.ગુણવત્તાયુક્ત શિક્ષણનો ભારે અભાવ હોવાથી ત્યાં કરોડો બાળકો શાળાએ પહોંચે છે. મોટી સંખ્યામાં બાળકોનું શિક્ષણ અડધું રહી ગયું આ તમામ સમસ્યાઓનો સામનો કરવા માટેઆંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉકેલનો ઉકેલ શોધવાનો છે.