સુરક્ષા દળોએ ખીણમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં જૈશના સ્થાનિક નેતા જાહિદ વાની સહિત એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ હતા શનિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને બડગામ જિલ્લામાં બે સ્થળોએ એન્કાઉન્ટર થયું હતું. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે પ્રથમ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના પુલવામાના નાયરા વિસ્તારમાં થયું હતું. જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.બીજી ઘટના મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચરાર-એ-શરીફ વિસ્તારમાં બની હતી, જ્યાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી જૈશના હતા.એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી છે ચરાર-એ-શરીફ, બડગામમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી માર્યો ગયો.
એન્કાઉન્ટર સ્થળ પરથી AK-56 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. આઈજીએ કહ્યું કે, જૈશ કમાન્ડર ઝાહિદ વાની સહિત પાંચ આતંકીઓને માર્યા જવું એ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. છેલ્લા 12 કલાકમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનો લશ્કર અને જૈશ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું હતું.આઈજી વિજય કુમારે કહ્યું કે કાશ્મીરમાં 11 એન્કાઉન્ટરમાં 8 પાકિસ્તાનીઓ સહિત 21 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓનો ખાત્મો થવાથી સંગઠનમાં યુવાનોની સામેલગીરી ઘટશે. આનાથી ઘાટીમાં શાંતિ અને વિકાસને પ્રોત્સાહન મળશે પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે જૈશના આતંકવાદી ઝાહિદ વાનીની શોધ ઘણા સમયથી ચાલી રહી હતી. ઇનપુટ મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અથડામણ દરમિયાન,પુલવામામાં જાહિદ વાની અને પાકિસ્તાની આતંકવાદી સહિત 3 અન્ય લોકો માર્યા ગયા હતા. આ સિવાય અન્ય એક ઓપરેશનમાં બડગામમાં એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો હતો.