ભારતનો પાડોશી દેશ એટલે કે શ્રીલંકા ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે આ બધા વચ્ચે ભારતે તેને મદદ પેટે 90 કરોડ ડોલરની લોન આપવાની જાહેરાત કરી છે. શ્રીલંકાના પ્રમુખ અને શ્રીલંકન સેન્ટ્રલ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નરએ ભારતની આ મદદની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ભારત તરફથી મળેલી આ આર્થિક મદદે હાલ પૂરતી શ્રીલંકાને ડુબતું બચાવ્યું છે. આ સાથે જ તેમણે શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિને લઈ રાષ્ટ્રપતિ રાજપક્ષેને ચેતવણી પણ આપી છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ગયો છે અને તેવામાં તે દેવાળું ફૂંકે તેવી સ્થિતિ સર્જાઈ છે. અર્થશાસ્ત્રી રાષ્ટ્રપતિને ચેતવણી આપતા કહ્યું હતું કે વિદેશી મુદ્રાની તંગી સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી તાત્કાલિક લોન લેવાની જરૂર છે.
શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ સમાપ્ત થઈ ગયો છે અને જરૂરિયાતની તમામ ચીજ અને વસ્તુઓની પણ તંગી સર્જાઈ છે. દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે ભારતે શ્રીલંકાને 90 કરોડ ડોલરનું ઋણ આપવાની જાહેરાત કરી હતી. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનરએ સેન્ટ્રલ બેંકના ગવર્નરની મુલાકાત લીધી હતી અને તેમને આર્થિકરૂપે સમર્થન આપવાની વાત કરી હતી. ભારતીય હાઈ કમિશન તરફથી એક ટ્વિટ પણ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આ આર્થિક મદદમાં 50.9 કરોડ ડોલર કરતાં વધારેની રાશિ એશિયન ક્લિયરિંગ યુનિયન સમજૂતીને સ્થગિત કરવા અને 40 કરોડ ડોલરની કરન્સી એક્સચેન્જનો સમાવેશ થાય છે.